Sunday, April 13, 2025

Learn Astro

 

સંપૂર્ણ જ્યોતિષ નવ ગ્રહ, બાર રાશિઓ, સત્તાવીસ નક્ષત્રો અને બાર ભાવો પર ટકેલી છે. બધા ભવિષ્ય ફળ નો મૂળ આધાર આમના પરસ્પર એક બીજા સાથે ના સંયોગ છે. સૌથી પહેલા સમજીયે છે ગ્રહો ને.

ગ્રહ નવ છે. અહીં અમે ગુજરાતી સિવાય ઈંગ્લીશ માં ગ્રહો નામ જણાવી રહ્યા છીએ, આવનારા સમય માં આ ઘણા કામ આવશે. તેથી પ્રયાસ કરજો કે ઈંગ્લીશ માં પણ યાદ રાખી શકો.

  • પ્રથમ ગ્રહ સૂર્ય એટલે કે રવિ જેને ઈંગ્લીશ માં સન પણ કહેવાય છે.
  • બીજો ચંદ્ર ઈંગ્લીશ માં મૂન
  • ત્રીજું મંગલ જેને સંસ્કૃત માં ભૌમ, ઈંગ્લીશ માં માર્સ અને દક્ષિણ ભારત માં કુજ પણ કહેવાય છે.
  • ચોથું બુધ ઈંગ્લીશ માં મરક્યુરી
  • પાંચમું ગુરુ અથવા બૃહસ્પતિ ઈંગ્લીશ માં જ્યુપિટર
  • છઠ્ઠું શુક્ર ઈંગ્લીશ માં વીનસ
  • સાતમું શનિ ઈંગ્લીશ માં સેટર્ન
  • આઠમું રાહુ ઈંગ્લીશ માં નોર્થ નોડ
  • અને નવમું કેતુ ઈંગ્લીશ માં સાઉથ નોડ

ધ્યાન રાખો કે જ્યોતિષ માં ગ્રહ શબ્દ ની વ્યાખ્યા આધુનિક વ્યાખ્યા થી જુદી છે અને ગ્રહો ના પ્રભાવ પર આધારિત છે. જ્યોતિષ ની ઈંગ્લીશ પુસ્તકો માં ગ્રહ શબ્દ નું પ્લેનેટ માં અનુવાદ કરવા માં આવે છે કેમકે ઈંગ્લીશ માં ગ્રહ નું તેના સિવાય બીજું કોઈ શબ્દ નથી. 

શુભ અને અશુભ ગ્રહ : 

શુભ અને અશુભ ગ્રહ. જે નવ ગ્રહો ની અમે વાત કરી તેમાં થી અમુક ગ્રહો શુભ અને અમુક ગ્રહો ને પાપી કહેવા માં આવ્યું છે.

ચંદ્ર, બુધ, શુક્ર, ગુરુ શુભ ગ્રહ છે.

સૂર્ય, મંગલ, શનિ, રાહુ, કેતુ, ચંદ્ર અને બુધ દર વખતે શુભ નથી હોતા. પૂર્ણ ચંદ્ર એટલે કે પૂર્ણિમા પાસે નો ચંદ્ર શુભ માનવા માં આવે છે જયારે કે અમાવાસ પાસે નો ચંદ્ર શુભ નથી હોતો. એજ રીતે બુધ જો શુભ ગ્રહ ની સાથે હોય તો શુભ હોય છે અને જો પાપી ગ્રહ ની સાથે હોય તો પાપી થયી જાય છે.

શુભ અને પાપ ગ્રહો નું ફલાદેશ માં ઘણું મહત્વ છે. આ ધ્યાન રાખવા વળી વાત છે કે બધા પાપી ગ્રહો ખોટી અસર નથી આપતા. ના કે બધા શુભ ગ્રહ દર સમયે સારા ફળો આપે છે. સારા અથવા ખોટા ફળો ઘણી બીજી વાતો જેમ કે ગ્રહ નું સ્વામિત્વ, ગ્રહ ની રાશિ સ્થિતિ, દૃષ્ટિઓ અને દશા વગેરે પર નિર્ભર કરે છે

સ્વભાવ અને કારકત્વસ્વભાવ અને કારકત્વ

ગ્રહો ના સ્વભાવ અને કારકત્વ વિશે. ગર્હો ને જ્યોતિષ માં જીવ તરીકે માનવા માં આવે છે. ગ્રહો નો એક 'સ્વભાવ' હોય છે અને 'કારકત્વ' પણ હોય છે. કારકત્વ નું મતલબ પ્રભાવ ક્ષેત્ર. દુનિયા ની બધી વસ્તુઓ ને નવ ગ્રહો ની હેઠળ મુકવા આવ્યું છે. અમુક મુખ્ય કારકતવો ની ચર્ચા કરીશું.

સૂર્ય નો કારકત્વ છે. - રાજા, પિતા, તાંબું, હૃદય વગેરે.

દાખલ તરીકે જો કોઈ ની કુંડળી માં સૂર્ય ખરાબ હોય તો પિતા, હૃદય વગેરે કારકત્વ પ્રભાવિત થશે. બીજા શબ્દો માં વ્યક્તિ ને પિતા નો પ્રેમ નહિ મળે અને હૃદય રોગ વગેરે હશે.

કારકત્વ ના સિવાય ગ્રહો ના સ્વભાવ ને પણ જાણવું જરૂરી છે.

સૂર્ય નો સ્વભાવ છે - લાલ રંગ, પુરુષ, ક્ષત્રિય જાતિ, પાપ ગ્રહ, સત્વગુણ પ્રધાન, અગ્નિ તત્વ, પિત્ત પ્રકૃતિ.

ધારો કે કોઈ ના લગ્ન માં સૂર્ય છે તો સૂર્ય નો ક્ષત્રિય સ્વભાવ હોવા થી તે આક્રામક હશે. સૂર્ય નો પુરુષ સ્વભાવ છે દાખલ તરીકે જો કોઈ સ્ત્રી ની કુંડળી માં સૂર્ય લગ્ન માં હોય તો તે પુરુષો ની જેમ આક્રામક અને મુક્ત ખ્યાલો વાળી હશે.

અપેક્ષા છે કે તમે ગ્રહો ના સ્વભાવ અને કારકત્વ માં ફરક સમજી ગયા હશો. સૂર્ય ના વિશે અમે જાણી લીધું છે હવે ચંદ્ર ના વિશે જાણીયે છે.

સ્ત્રી, વૈશ્ય જાતિ, સોમય ગ્રહ, સત્વગુણ, જળ તત્વ, વાત કફ પ્રકૃતિ વગેરે ચંદ્ર નો સ્વભાવ છે.

સફેદ રંગ, માતા, મન, ચાંદી, ચોખા વગેરે પર ચંદ્ર પોતાનો પ્રભાવ રાખે છે.

લગ્ન માં ચંદ્ર હોય તો વ્યક્તિ માં સ્ત્રી સદૃશ ગુણ હોઈ શકે છે. જો ચંદ્ર ખરાબ હોય ચંદ્ર ના કારકત્વ જેમ કે માતા નું સુખ નહિ મળે.

સ્વભાવ અને કારકત્વ (ભાગ - બે)

સૂર્ય અને ચંદ્ર પછી ના બીજા ગ્રહો ને આ લેખ માં સમજીયે છે.

ક્રૂર, આક્રામક, પુરુષ, ક્ષત્રિય, પાપ, તમોગુણી, અગ્નિતત્વ, પિત્ત પ્રકૃતિ વગેરે મંગલ ના સ્વભાવ છે.

લાલ રંગ, ભાઈ બહેન, યુદ્ધ, હથિયાર, ચોર, ઘાવ, રક્ત, માંસપેશી, ઓપરેશન(સર્જરી) વગેરે નું કારક મંગલ છે.

મંગલ ખરાબ હશે તો મંગલ ના કારકત્વ ને નુકસાન પહુંચશે. જેમ કે ચોરીઓ વધારે થશે, વારંવાર ઇજા થશે વગેરે.

નપુંસક, વૈશ્ય જાતિ, રજો ગુણી, ત્રિદોષ (વાત, પિત્ત, કફ) પ્રકૃતિ બુધ નો સ્વભાવ છે.

લીલું રંગ, મામા, ગણિત, વેપાર, બોલવું વગેરે બુધ નું કારક છે.

બુધ સારું હશે તો વ્યક્તિ ની ગણિત ની સમાજ સારી હશે. આના થી વિરુદ્ધ બુધ ખરાબ હશે તો ગણિત સમજવા માં મુશ્કેલી થાય છે અને આવા માં સારું હોય છે કે વિજ્ઞાન ની જગ્યા કળા ની શિક્ષા ગ્રહણ કરાય.

જાડું શરીર, પુરુષ, બ્રાહ્મણ, સૌમ્ય, સત્વગુણી, કફ પ્રકૃતિ ગુરુ ની સ્વભાવ છે.

પીળો રંગ, વેદ, ધર્મ, ભક્તિ, સ્વર્ણ, જ્ઞાની, ગુરુ, ચરબી, કફ, વિદ્યા, પુત્ર, પૌત્ર, વિવાહ વગેરે ગુરુ નું પ્રતિનિધિત્વ કરે છે.

સુંદર શરીર, સ્ત્રી, બ્રાહ્મણ, સૌમ્ય, કફ પ્રકૃતિ શુક્ર નો સ્વભાવ છે.

સફેદ રંગ, સુંદર વસ્ત્રો, સુંદરતા, પત્ની, પ્રેમ સંબંધ, વીર્ય, કામ-શક્તિ, વૈવાહિક સુખ, કાવ્ય, સ્ત્રી નો પ્રતિનિધિ શુક્ર છે.

શુક્ર ના કારકત્વ ને જોતા આ સમજવું મુશ્કેલ નથી કે શુક્ર નું કુંડળી માં સારું હોવું વૈવાહિક જીવન માટે ઉત્તમ છે.

દબાયેલી આંખો, પાતળું શરીર, ક્રૂર, નપુંસક, શુદ્ર વર્ણ, પાપ, તમોગુણી, વાત કફ પ્રકૃતિ શનિ ની છે.

કાળો રંગ, કાકા, સેવક (નોકર), આયુ (ઉમર), વૈરાગ્ય વગેરે નું પ્રતિનિધિ શનિ છે.

શનિ ખરાબ હોય તો નોકરો થી મુશ્કેલીઓ થાય છે. કાકા થી તાણ રહે છે.

પાપ, ચાંડાલ, તમોગુણી, વાત પિત્ત પ્રકૃતિ રાહુ કેતુ નો સ્વભાવ છે.

કાળો ધુમાડા જેવો રંગ, દાદા, દગો, જુગાર સટ્ટો, વિદેશ, સાંપ, વિધવા વગેરે રાહુ ના કારકત્વ છે.

તંત્ર મંત્ર, મોક્ષ, દુર્ઘટના, નાના, ઝગડા, ચોરી, ચર્મ રોગ, કૂતરો, ભૂખ નો પ્રતિનિધિ કેતુ છે.

રાશિઓ : 

ન્મ સમય પર જન્મ સ્થાન થી આકાશ જોવા માં આવે તો તે સમયે ગ્રહો ની સ્થિતિ ને કુંડળી કહેવાય છે. પૃથ્વી થી જોવા માં બધા ગ્રહો એક ગોળાકાર માં ફરતા દેખાય છે. આ ગોળાકાર ને રાશિ ચક્ર કહેવાય છે. આ રાશિ ચક્ર ને જો બાર બરાબર ભાગો માં વહેંચવા માં આવે, તો દરેક એક ભાગ રાશિ કહેવાશે. આ બાર રાશિઓ ના નામ છે - 1 મેષ, 2 વૃષભ, 3 મિથુન, 4 કર્ક, 5 સિંહ, 6 કન્યા, 7 તુલા, 8 વૃશ્ચિક, 9 ધનુ, 10 મકર, 11 કુમ્ભ અને 12 મીન. રાશિઓ નો ક્રમ યાદ રાખવો જરૂરી છે કેમ કે કુંડળી માં માત્ર રાશિઓ ના નંબર લખવા માં આવે છે.

એક ગોળાકાર ને ગણિત માં 360 અંશ એટલે કે ડિગ્રી થી મપાય છે. એટલે કે એક રાશિ જે કે રાશિ ચક્ર નું બારમું ભાગ છે 360 ભાગ્યા 12 એટલે કે 30 અંશ ની થયી. જોકે વધારે ગણિત માં જવા ની જગ્યાએ માત્ર એટલું જાણવું પૂરતું હશે કે દરેક રાશિ 30 અંશ ની હોય છે.

દરેક રાશિ નો સ્વામી નિશ્ચિત છે અને તેને યાદ રાખવું જરૂરી છે. રાશિ ના મલિક અથવા સ્વામીઓ ને જાણી લઈએ છે.

પહેલી રાશિ મેષ નો સ્વામી મંગલ છે. વૃષભ નો શુક્ર, મિથુન નો બુધ, કર્ક નો ચંદ્ર, સિંહ નું સૂર્ય, કન્યા નું ફરી થી બુધ એટલે કે મિથુન અને કન્યા બે રાશિઓ નું માલિક બુધ, તુલા નો ફરી થી શુક્ર, વૃશ્ચિક નો ફરી થી મંગલ, ધનુ નો ગુરુ, મકર અને કુમ્ભ નું શનિ અને મીન નું ગુરુ.

સૂર્ય અને ચંદ્ર એક એક રાશિ ના સ્વામી હોય છે. રાહુ અને કેતુ કોઈ પણ રાશિ ના સ્વામી નથી હોતા. બીજા ગ્રહ એટલે કે મંગલ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ બે રાશિઓ ના સ્વામી હોય છે.

કુંડળી: 


 આ જે ઉપર ચોરસ ભાગ છે, આને લગ્ન કહેવાય છે. લગ્ન ભાવ ને પહેલું ભાવ પણ કહેવાય છે અને અહીં થીજ ભાવ ની ગણતરી કરવા માં આવે છે. સમજવા માટે ચાર્ટ જુઓ એટલે કે પહેલું ભાવ એના પછી ડાબી બાજુ તરફ બીજો ભાવ તેમજ ત્રીજો, ચોથો અને ક્રમશઃ બારમો ભાવ આવે છે. જો કે સીધા શબ્દો માં કહીએ તો ભાવ ની ગણતરી ઘડિયાળ ની વિરુદ્ધ દિશા (એન્ટી કલોકવાઇસ) થાય છે. કુંડળી માં ભાવ ની જગ્યા નિશ્ચિત છે પછી ગમે તે નંબર ત્યાં લખ્યો હોય. આ કુંડળી માં શુક્ર અને રાહુ પાંચમા ઘર માં બેઠા છે. ઘર ને ભાવ અથવા ખાનું પણ કહેવા માં આવે છે. ચંદ્ર અને મંગલ છઠા ઘર માં બેઠા છે, શનિ, સૂર્ય અને બુધ સાતમા ભાવ માં બેઠા છે અને ગુરુ તથા કેતુ અગિયારમા ભાવ માં બેઠા છે.



નંબર જણાવે છે રાશિ ને અને રાશિ થી તે ભાવ ના સ્વામી ની જાણ થાય છે. આ કુંડળી માં આપણે કહી શકીએ છે કે લગ્ન માં માં અગિયારમી રાશિ એટલે કે કુમ્ભ રાશિ છે. આને આ રીતે કહી શકીએ કે આ વ્યક્તિ નો કુમ્ભ લગ્ન છે. યાદ છે ને કે અગિયારમી રાશિ કુમ્ભ છે.

રાશિઓ ના સ્વામી નિશ્ચિત છે અને ભાવ ના સ્વામી દરેક કુંડળી મુજબ બદલાયા કરે છે

ભાવ ના કારકત્વ: 

દરેક ભાવ કોઈ ના કોઈ વિષય વસ્તુ વિશે જણાવે છે. દુનિયા ની બધી વસ્તુઓ ની માહિતી આ બાર ભાવો માં સંતાયેલી છે. દુનિયા ની બધી વસ્તુઓ ની વાત નહિ કરી શકાય પરંતુ અમુક મહત્વપૂર્ણ કારકત્વ જણાવીએ છે.

સંપૂર્ણ કુંડળી ના વિશે, જન્મ અને વ્યક્તિ નો સ્વભાવ પહેલા ભાવ થી જોવા માં આવે છે.

  • ધન, નેત્ર, મુખ, વાણી, કુટુંબ બીજા ભાવ થી
  • પરાક્રમ, નાના ભાઈ બહેનો, માનસિક સંતુલન વગેરે ત્રીજા ભાવ થી
  • માતા, સુખ, વાહન, મિલકત, ઘર વગેરે ચોથા ભાવ થી
  • સંતાન, બુદ્ધિ પાંચમા ઘર થી
  • રોગ, શત્રુ અને દેવું છઠા ભાવ થી
  • વિવાહ, જીવન સાથી, ભાગીદાર સાતમા ભાવ થી
  • આયુ (ઉમર), ખતરો, અકસ્માત આઠમા ભાવ થી
  • ભાગ્ય (નસીબ), પિતા, ગુરુ, ધર્મ નવમાં ભાવ થી
  • કર્મ, વ્યવસાય, પદ, ખ્યાતિ દસમા ઘર થી
  • લાભ (નફો), અભિલાષા (ઈચ્છા) પૂરતી અગિયારમા ભાવ થી
  • ખર્ચ (વ્યય), નુકસાન (ખોટ), મોક્ષ બારમા ભાવ થી

સામાન્યતઃ 6, 8, 12 ભાવ માં કોઈ પણ ગ્રહ નું હોવું ખરાબ માનવા માં આવે છે. આ એક સામાન્ય નિયમ છે અને આના અમુક અપવાદો પણ છે જેની ચર્ચા આપણે પછી કરીશું. સામાન્યતઃ 6, 8, 12 ભાવ માં બેઠેલું ગ્રહ પોતાના કારકત્વ ને તો ખરાબ કરેજ છે સંગાથે તે ભાવ ના કારકત્વ ને પણ ખરાબ કરે છે જે ભાવ નો તે સ્વામી છે.

કુંડળી

આપણી દાખલા કુંડળી માં મંગલ ત્રીજા અને દસમા ઘર નો સ્વામી છે અને છઠા ઘર માં બેઠું છે. મંગલ ભાઈ અને બહેનો નું કારક હોય છે એટલે ભાઈ બહેન માટે આ સ્થિતિ સારી નથી હોતી. દસમા ભાવ થી વ્યવસાય (વેપાર) જોવા માં આવે છે તેથી આ સ્થિતિ વ્યક્તિ ના વેપાર માટે પણ સારી નથી હોતી.

ઉચ્ચ અને નીચ ગ્રહ:

ગ્રહ ના સારા અને ખરાબ પરિણામો બીજી ઘણી વાતો પર નિર્ભર કરે છે. આ પહેલાજ બતાવ્યું છે કે 6, 8, 12 ભાવો માં ગ્રહો ના કારકત્વ ને નુકસાન પહુંચે છે. એવીજ રીતે હજી એક વાત છે ગ્રહ ની રાશિ માં સ્થિતિ ની. કોઈપણ ગ્રહ સામાન્યતઃ પોતાની ઉચ્ચ રાશિ, મિત્ર રાશિ અને સ્વયં ની રાશિ માં સારા પરિણામો આપે છે. આની વિરુદ્ધ ગ્રહ પોતાની નીચ રાશિ અને શત્રુ રાશિ માં ખરાબ પરિણામો આપે છે.

ગ્રહો ની ઉચ્ચ અને નીચ રાશિઓ નીચે ટેબલ માં જુઓ.

ક્રમગ્રહઉચ્ચ રાશિનીચ રાશિ
1સૂર્યમેષતુલા
2ચંદ્રવૃષભવૃશ્ચિક
3મંગલમકરકર્ક
4બુધકન્યામીન
5ગુરુકર્કમકર
6શુક્રમીનકન્યા
7શનિતુલામેષ
8રાહુધનુમિથુન
9કેતુમિથુનધનુ

ટેબલ માં અમુક વસ્તુઓ ધ્યાન આપવા જેવી છે. પહેલી એ કે ગ્રહ ઉચ્ચ રાશિ અને નીચ રાશિ એક બીજા થી સાતમી હોય છે. જેમ કે સૂર્ય મેષ માં ઉચ્ચ નો હોય છે જે રાશિ ચક્ર ની પહેલી રાશિ છે અને તુલા માં નીચ હોય છે જે રાશિ ચક્ર ની સાતમી રાશિ છે.

ગ્રહ ઉચ્ચ રાશિ માં સૌથી બળવાન હોય છે. સ્વયં ની રાશિ માં બીજી શ્રેણી નો બળવાન, મિત્ર રાશિ માં ત્રીજી શ્રેણી નો બળવાન, સમ રાશિ માં ચોથી શ્રેણી નો, શત્રુ રાશિ માં પાંચમી શ્રેણી નો અને નીચ રાશિ માં છઠ્ઠી શ્રેણી નો એટલે કે સૌથી નબળું હોય છે.

કુંડળી જોવા નું શરુ કરતા પહેલા એ નોટ કરો કે કયા કયા ગ્રહ પોતાની ઉચ્ચ અને નીચ રાશિઓ માં સ્થિત છે. જો ગ્રહ ઉચ્ચ રાશિ માં હોય છે તો પોતાનો ફળ આપી શકે છે. જો ગ્રહ નીચ અથવા શત્રુ રાશિ માં હોઈ નબળો હોય તો પોતાનો ફળ નહિ આપી શકે. પોતાનો ફળ એટલે કે પોતાનો કારકત્વ અને તે ભાવો નો કારકત્વ જેનો તે ગ્રહ સ્વામી છે.


ગ્રહો ની મિત્રતા અને શત્રુતા:

ગ્રહો ની શત્રુતા અને મિત્રતા ને પણ જાણવું જરૂરી છે. સૂર્યાદિ ગ્રહ બીજા ગ્રહો ના પ્રતિ સમ, મિત્ર અને શત્રુ હોય છે. મિત્ર શત્રુ ટેબલ ને ધ્યાન થી જુઓ -

ગ્રહમિત્રશત્રુ
સૂર્યચંદ્ર, મંગલ, ગુરુશનિ, શુક્ર
ચંદ્રસૂર્ય, બુધકોઈ નહિ
મંગલસૂર્ય, ચંદ્ર, ગુરુબુધ
બુધસૂર્ય, શુક્રચંદ્ર
ગુરુસૂર્ય, ચંદ્ર, મંગલશુક્ર, બુધ
શુક્રશનિ, બુધબાકી ના ગ્રહો
શનિબુધ, શુક્રબાકી ના ગ્રહો
રાહુ, કેતુશુક્ર, શનિસૂર્ય, ચંદ્ર, મંગલ

આ ટેબલ ઘણું મહત્વપૂર્ણ છે અને આને યાદ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આ ટેબલ બહુ મોટું લાગે તો ઘબરાવ ની કોઈ જરૂર નથી. ટેબલ સમય અને અભયસ સાથે પોતેજ યાદ થયી જશે. મોટા ભાગે આપણે ગ્રહો ને બે ભાગો માં વિભાજીત કરી શકીએ છે જે કે એક બીજા ના શત્રુ છે -

ભાગ 1 - સૂર્ય, ચંદ્ર, મંગલ અને ગુરુ

ભાગ 2 - બુધ, શુક્ર, શનિ, રાહુ, કેતુ

મિત્ર-શત્રુ નો અર્થ એ છે કે જે ગ્રહ પોતાના મિત્ર ગ્રહો ની રાશિ માં હોય અને મિત્ર ગ્રહો સાથે હોય તે ગ્રહ પોતાનું શુભ ફળ આપશે. આની વિરુદ્ધ જે ગ્રહ પોતાના

 શત્રુ ગ્રહ ની રાશિ માં હોય અથવા શત્રુ ગ્રહ ની સાથ હોય તો તેના શુભ ફાળો માં અછત આવી જશે

યુતિ અને દૃષ્ટિ :

ગ્રહો એક બીજા ને ઘણા પ્રકારો થી પ્રભાવિત કરે છે. બે મુખ્ય પ્રકાર છે - યુતિ અને દૃષ્ટિ.

યુતિ ને ઈંગ્લીશ માં કંજંક્શન (conjunction) કહેવા માં આવે છે. યુતિ નો અર્થ છે એક સાથે બેસવું. જો બે ગ્રહો એક સાથે રાશિ માં બેઠેલા હોય તો તેને ગ્રહ યુતિ કહેવાય છે.

કુંડળી


આ રીતે આ કુંડળી માં ચંદ્ર અને મંગલ કર્ક રાશિ માં સ્થિત છે એટલે જ્યોતિષીય ભાષા માં આપણે કહીશું કે ચંદ્ર અને મંગલ ની કુંડળી માં યુતિ છે. જો કે ચંદ્ર અને મંગલ ની યુતિ છે એટલે એ બન્ને એક બીજા ના પરિણામો ને પ્રભાવિત કરશે. મંગલ સ્વાભાવિક રીતે ક્રૂર ગ્રહ છે અને કર્ક માં મંગલ નીચ નો હોય છે. છઠ્ઠો ભાવ પણ નકારાત્મક હોય છે જ્યાં ગ્રહો ની સ્થિતિ સારી નથી હોતી. એટલે આપણે કહી શકીએ છે કે મંગલ ચંદ્ર ને નકારાત્મક રૂપે પ્રભાવિત કરશે. ગ્રહ કારકત્વ વાળા લેખ થી આપણે જાણીએ છે કે ચંદ્ર માતા, મન, નેત્ર વગેરે નું કારક હોય છે. મન પર મંગલ ના નકારાત્મક પ્રભાવ થી ઉદાહરણ કુંડળી વાળો વ્યક્તિ (જાતક) જિદ્દી હશે. ચંદ્ર (મન) + મંગલ (જિદ્દી) = જિદ્દી. તેની માતા નું સ્વાસ્થ્ય પણ સારું નહિ હશે. ચંદ્ર (માતા) + છઠ્ઠું ભાવ (રોગ) + મંગલ નું નકારાત્મક સ્વભાવ. જાતક ની આંખો પણ નબળી હોઈ શકે છે. ચંદ્ર (આંખો) + છઠ્ઠો ભાવ (રોગ) + મંગલ નો નકારાત્મક સ્વભાવ.

યુતિ ના પછી આપણે દૃષ્ટિ ને સમજીએ છે. દૃષ્ટિ ને ઈંગ્લીશ માં એસ્પેક્ટ (aspect) કહેવાય છે. દૃષ્ટિ નો મતલબ જોવું. ગ્રહ દૃષ્ટિ દ્વારા પણ બીજા ગ્રહો ની અસર ને પ્રભાવિત કરે છે.

દરેક ગ્રહ પોતાના સ્થાન થી સાતમા ઘર (સ્થાન) ને પૂર્ણ દૃષ્ટિ થી જુએ છે. આના સિવાય મંગલ ચોથા અને આઠમા સ્થાન ને પણ જુએ છે. ગુરુ પાંચમા અને નવમાં સ્થાન ને પણ જુએ છે. શનિ ત્રીજા અને દસમા સ્થાન ને પણ જુએ છે.

ગ્રહપૂર્ણ દૃષ્ટ સ્થાન
સૂર્ય7
ચંદ્ર7
બુધ7
શુક્ર7
મંગલ4, 7, 8
ગુરુ5, 7, 9
શનિ3, 7, 10

રાહુ અને કેતુ માટે ધારો કે તેમની દૃષ્ટિ નથી હોતી.

ભવિષ્ય વાણી કરવા ના પંદર સૂત્રો :

ફલાદેશ ના પંદર મહત્વપૂર્ણ નિયમ

ગ્રહો ના શુભ અને અશુભ ફળ જાણવા ના પંદર નિયમો જણાવીએ છે જેના થી તમે જાણી શકશો કે કોઈ શુભ છે અથવા અશુભ.

  • નિયમ 1 - જે ગ્રહ પોતાની ઉચ્ચ, સ્વયં ની અથવા પોતાના મિત્ર ગ્રહ ની રાશિ માં હોય - શુભ ફળ આપશે. આના વિપરીત જો નીચ રાશિ માં અથવા પોતાના શત્રુ ની રાશિ માં ગ્રહ અશુભ ફળ આપશે.
  • નિયમ 2 - જે ગ્રહ પોતાની રાશિ પર દૃષ્ટિ નાખે છે તે જોવા વાળા ભાવ માટે પણ શુભ ફળ આપે છે.
  • નિયમ 3 - જે ગ્રહ પોતાના મિત્ર ગ્રહો અને શુભ ગ્રહો ની સાથે અથવા મધ્ય હોય તો તે શુભ ફળદાયક હોય છે. માધ્ય નું અર્થ આગલી અને પાછલી રાશિ માં ગ્રહ.
  • નિયમ 4 - જે ગ્રહ પોતાની નીચ રાશિ થી ઉચ્ચ રાશિ બાજુ ભ્રમણ કરે અને વક્રી ના હોય.
  • નિયમ 5 - જે ગ્રહ લગ્નેશ (પહેલા ભાવ નો સ્વામી) નો મિત્ર હોય
  • નિયમ 6 - ત્રિકોણ ના સ્વામી સદૈવ શુભ ફળ આપે છે.
  • નિયમ 7 - કેન્દ્ર નો સ્વામી શુભ ગ્રહ પોતાની શુભતા છોડી દે છે અને અશુભ ગ્રહ પોતાની અશુભતા છોડી દે છે.
  • નિયમ 8 - ક્રૂર ભાવો (3, 6, 11) ના સ્વામી સદૈવ અશુભ ફળ આપે છે.
  • નિયમ 9 - ઉપચય ભાવો (1, 3, 6, 11, 11) માં ગ્રહ ના કારકત્વ ની વૃદ્ધિ હોય છે.
  • નિયમ 11 - દુષ્ટ સ્થાનો (6, 8, 12) માં ગ્રહ અશુભ ફળ આપે છે.
  • નિયમ 11 - શુભ ગ્રહ કેન્દ્ર (1, 4, 7, 11) માં શુભ ફળ આપે છે, પાપ ગ્રહ કેન્દ્ર માં અશુભ ફળ આપે છે.
  • નિયમ 12 - પૂર્ણિમા ની પાસે નો ચંદ્ર શુભ ફળદાયક અને અમાવાસ ની પાસે નો ચંદ્ર અશુભ ફળદાયક હોય છે.
  • નિયમ 13 - ચંદ્ર ની રાશિ, તેની આગળ ની અને પાછળ ની રાશિ માં જેટલા વધારે ગ્રહ હોય, ચંદ્ર એટલુંજ શુભ હોય છે.
  • નિયમ 14 - બુધ, રાહુ અને કેતુ જે ગ્રહ સાથે હોય છે તેમના મુજબ ફળ આપે છે.
  • નિયમ 15 - સૂર્ય ની પાસે ગ્રહ અસ્ત થયી જાય છે અને અશુભ ફળ આપે છે

કોઈ ગ્રહ શુભ ફળ આપશે અથવા અશુભ. જો કે નિયમો તો સરળ છે છતાંય એક દાખલો આપીએ છે જેના થી નિયમ વધારે સ્પષ્ટ થયી જશે. દાખલા માટે મંગલ ને લયીએ છે અને જોઈએ છે કી મંગલ અમારી કુંડળી માં શુભ ફળ આપશે અથવા અશુભ -

કુંડળી


મંગલ પોતાની નીચ રાશિ માં છે એટલે નિયમ 1 મુજબ મંગલ અશુભ ફળદાયક થયું. (-1)

મંગલ પોતાના મિત્ર ગ્રહ ચંદ્ર સાથે છે એટલે નિયમ 3 મુજબ મંગલ અમુક શુભ ફળ આપશે. આ થોડુંક ઓછું મહત્વપૂર્ણ નિયમ છે એટલે માત્ર અડધું અંક આપીએ છે. (+0.5)

મંગલ ની ઉચ્ચ રાશિ મકર છે તો જો માર્ગી થયી ને ધનુ માં હોતો એટલે કે મકર ની તરફ જયી રહ્યો હોતો તો પણ તેને બળ મળતું. પરંતુ આવું નથી એટલે આ કુંડળી પર નિયમ 4 નથી લાગતો.

  • નિયમ 5 - લગ્નેશ શનિ છે અને મંગલ શનિ નો મિત્ર નથી એટલે શુભ ફળ નહિ આપશે. (-1)
  • નિયમ 6 - મંગલ ત્રિકોણ નો સ્વામી નથી. (0)
  • નિયમ 7 - મંગલ ક્રૂર ગ્રહ છે અને કેન્દ્ર નો હોવા થી પોતાની અશુભતા છોડી દેશે. ફક્ત અડધો અંક એટલા માટે કેમ કે મંગલ અશુભ ગ્રહ છે અને અશુભતા છોડવા નું મતલબ છે ન્યુટ્રલ હોવું ના કે શુભ હોવું. (+0.5)
  • નિયમ 8 - પરંતુ ત્રીજા ભાવ નો સ્વામી હોવા થી અશુભ પરિણામો આપશે. (-1)
  • નિયમ 9 - ઉપચય ભાવ માં હોવું મંગલ માટે સારું છે.(+1)
  • નિયમ 10 - સામાન્યતઃ ગ્રહ છઠા ઘર માં શુભ પરિણામો નથી આપતો પરંતુ પાપ ગ્રહો ઉપચય ભાવ માં અપવાદ છે.
  • નિયમ 15 - મંગલ સૂર્ય ની પાસે નથી એટલે કે અસ્ત નથી. (0)
  • નિયમ 12 13 - ફક્ત ચંદ્ર માટે અને 14 ફક્ત બુધ, રાહુ અને કેતુ માટે છે એટલે અહીં મંગલ માટે અમે તેને છોડી દીધું છે.

જો બધી પ્લસ અને માઇનસ અંકો નો સરવાળો કરીએ તો ઋણાત્મક રકમ મળશે, આના થી ખબર પડે છે કે મંગલ મૂલતઃ અક શુંભ ફળ આપશે. અશુભ નો મતલબ છે કે મંગલ ના પોતાના કારકત્વ અને મંગલ જે ભાવ નો સ્વામી છે તેમના કારકત્વ ને નુકસાન થશે. આવી જ રીતે બીજા ગ્રહો ને જોવું જોઈએ.


સફળતા અને સમૃદ્ધિ ના યોગ : 

કુંડળી વાળો વ્યક્તિ જીવન ક્યાં શિખર પર પહોંચશે આ જ્યોતિષ માં યોગો થી જોવા માં આવે છે. ભારતીય જ્યોતિષ માં હજારો યોગો ના વિશે જણાવા માં આવ્યું છે પરંતુ અમે તમને એક સરળ રીત જણાવીએ છે જેના થી તમે કુંડળી જોતા ની સાથે જ અનુમાન લગાવી શકો છો કે વ્યક્તિ ના જીવન માં શું સ્થિતિ રહેશે - વ્યક્તિ પ્રધાન મંત્રી બનશે અથવા ભિખારી. વ્યક્તિ બિલ ગેટ્સ અથવા સચિન તેંડુલકર બની શકે છે કે નહિ.

કોઈ કુંડળી ની શક્યતાઓ આ ચાર વાતો થી ખબર પડી શકે છે.

  1. લગ્ન ની શક્તિ
  2. ચંદ્ર ની શક્તિ
  3. સૂર્ય ની શક્તિ
  4. દસમા ભાવ ની શક્તિ

કોઈ ગ્રહ ની સ્થિતિ જોવા માટે 15 નિયમ પહેલા જ જણાવી દીધા છે. જો લગ્નેશ, ચંદ્ર રાશિ નો સ્વામી, સૂર્ય રાશિ નો સ્વામી અને દસમા ભાવ નો સ્વામી 15 નિયમ ના મુજબ શુભ હોય તો કુંડળી ની શક્યતા વધશે.

સાથેજ અમને લગ્ન એટલે કે પહેલો ભાવ, ચંદ્ર રાશિ વાળો ભાવ, સૂર્ય રાશિ વાળો ભાવ દસમી રાશિ વાળો ભાવ પણ જોવું પડશે. જયારે કોઈ ભાવ ને જોવું હોય તો 15 માં થી ચાર વાતો નું વિશેષ ધ્યાન રાખો -

  1. ભાવ માં શુભ ગ્રહ હોવા થી ભાવ ને બળ મળે છે.
  2. ભાવ પર શુભ ગ્રહો ની દૃષ્ટિ પણ ભાવ ના બળ ને વધારે છે.
  3. ભાવ પર ભાવેશ ની રષ્ટિ થી પણ ભાવ ને બળ મળે છે.
  4. ભાવ ની બન્ને બાજુ શુભ ગ્રહ હોવા થી પણ ભાવ નું બળ વધે છે.

આના વિપરીત અશુભ ગ્રહ હોવા થી ભાવ નું ફળ ઘટે છે. એટલે કે ભાવ માં પાપ ગ્રહ, ભાવ પર પાપ ગ્રહો ની દૃષ્ટિ, બન્ને તરફ એટલે કે આગળ ના અને પાછળ ના ભાવ માં પાપ ગ્રહ ભાવ ને નુકસાન કરે છે.

આ ચાર નિયમ ભાવ ને જોવા માટે ઘણા મહત્વપૂર્ણ છે અને આમને ક્યારેય ના ભૂલતા. એટલે કે ભાવ નું બળ આ ચાર નિયમ થી જુઓ અને ભાવેશ નું બળ પહેલા બતાવેલા 15 નિયમો થી જુઓ. આ નિયમ ના આધારે લગ્ન, ચંદ્ર, સૂર્ય અને દસમા ની સ્થિત જોઈ તમે કોઈ પણ કુંડળી વાળા વ્યક્તિ ની જીવન ની સ્થિતિ સરળતા થી જાણી શકશો.

કુંડળી માં રાજ યોગ : 

રાજ યોગ ની. રાજ યોગ નું મતલબ કોઈ રાજા બનવા થી નથી પરંતુ યશ, સફળતા અને સમૃદ્ધિ ના યોગ થી છે. રાજ યોગ કોઈ એક યોગ નું નામ નથી પરંતુ યોગો ના પ્રકાર છે. જેટલા વધારે રાજ યોગ કુંડળી માં હોય છે એટલુંજ સફળ અને સમૃદ્ધ વ્યક્તિ જીવન માં હોય છે.

અમુક વિશેષ ગ્રહ સ્થિતિઓ ને યાદ રાખવા માં સરળતા થાય એના માટે ભારતીય જ્યોતિષ માં યોગો નું નામ આપી દેવા માં આવ્યું છે. જેમ કે ચંદ્ર અને ગુરુ પરસ્પર કેન્દ્ર માં હોય તો તેને ગજ કેસરી યોગ કહેવાય છે. મંગલ, બુધ, ગુરુ, શુક્ર અથવા શનિ કેન્દ્ર માં પોતાની રાશિ અથવા પોતાની ઉચ્ચ રાશિ માં હોય તો તેને પંચ મહાપુરુષ યોગ કહેવાય છે. અમે પહેલા જે 15 નિયમ બતાવ્યા હતા તેના થી રાજ યોગ ને સમજવા માં આસાની રહેશે. આના સિવાય આજે અમે પરાશરીય રાજ યોગ જણાવીએ છે. પારાશરી રાજ યોગ ને કેન્દ્ર ત્રિકોણ રાજ યોગ પણ કહે છે.

જો કોઈ કેન્દ્ર નો સ્વામી કોઈ ત્રિકોણ ના સ્વામી સાથે સંબંધ બનાવે છે તો તેને રાજ યોગ કહે છે. કેન્દ્ર નું મતલબ 4, 7, 10 ભાવ અને ત્રિકોણ નું મતલબ 5 અને 9 ભાવ. પહેલું ભાવ કેન્દ્ર અને ત્રિકોણ બન્ને ભાવ તરીકે ઓળખાય છે. જેમ કે પહેલા જણાયું છે કે બે ગ્રહો ના વચ્ચે ના સંબંધ નું મતલબ -

  1. દૃષ્ટિ એટલે કે એક બીજા ને જોવું
  2. યુતિ એટલે કે એક સાથ બેસવું
  3. પરિવર્તન એટલે કે એક બીજા ની રાશિ માં બેસવું

જેમ કે મેષ રાશિ વાળા માટે ત્રિકોણ એટલે કે પાંચમા અને નવમાં ભાવ ના સ્વામી છે સૂર્ય અને ગુરુ. જો આમના પહેલા ભાવ નો સ્વામી એટલે કે મંગલ, અથવા ચોથા ભાવ નો સ્વામી એટલે કે ચંદ્ર, અથવા સાતમા ભાવ નો સ્વામી એટલે કે શુક્ર અથવા દસમા ભાવ નો સ્વામી એટલે કે શનિ થી યુતિ, દૃષ્ટિ અથવા પરિવર્તન હોય તો પારાશરી રાજ યોગ બનશે. જેટલા વધારે સંબંધો હશે એટલાજ વધારે રાજ યોગ હશે.

આના સિવાય અમુક સમયે એકજ ગ્રહ કેન્દ્ર અને ત્રિકોણ બન્ને નો સ્વામી થયી જાય છે. કર્ક લગ્ન માટે મંગલ ત્રિકોણ એટલે કે પાંચમા ભાવ અને કેન્દ્ર એટલે કે દસમા ઘર નો સ્વામી હોવા ને લીધે પણ પારાશરી રાજ યોગ બને છે. પારાશરી રાજ યોગ બનાવનાર ગ્રહ ને યોગકારક ગ્રહ કહીએ છે અને આ ગ્રહ પોતાની દશા અંતર્દશા માં વિશેષ રૂપ થી સફળતા, સમૃદ્ધિ અને યશ આપે છે. 

ધન યોગ અને દરિદ્ર યોગ :

 કેન્દ્ર અને ત્રિકોણ ના સંબંધ થી બને છે. ઉસી તરાહ બે ભાવો ના સંબંધ થી ઘણા બીજા યોગ પણ બને છે અને તેમાં થી અમુક ઘણા મહત્વપૂર્ણ છે જેમ કે ધન યોગ, દરિદ્ર યોગ અને વિપરીત રાજ યોગ. આવો હવે અમે તમને આ યોગો વિશે જણાવીએ છે.

સૌથી પહેલા જાણીએ છે ધન યોગ ને. એક, બે, પાંચ, નવ અને અગિયાર ધન પ્રદાયક ભાવ છે. જો આમના સ્વામીઓ માં યુતિ, દૃષ્ટિ અથવા પરિવર્તન સંબંધ બને છે તો આ ધન યોગ કહેવાય છે. જેમ કે પહેલા જણાવ્યું કે સંબંધ મતલબ યુતિ, દૃષ્ટિ અને પરિવર્તન. જેમ કે નામ થી ખબર પડે છે, ધન યોગ મતલબ પૈસા, ધન અને સંપત્તિ ના યોગ. જેટલા વધારે ધન યોગ તમારી કુંડળી માં હશે અને ધન યોગ બનાવનાર ગ્રહ જેટલા તાકાતવર હશે વ્યક્તિ એટલુંજ ધણી હશે.

દરિદ્ર યોગ જો કોઈ ભાવ ની યુતિ, દૃષ્ટિ અથવા પરિવર્તન સંબંધ ત્રણ, છ, આઠ, બાર ભાવ થી થાય છે તો તે ભાવ ના કારકત્વ નષ્ટ થયી જાય છે. જો ત્રણ, છ, આઠ, બાર નું આ સંબંધ ધન પ્રદાયક ભાવ (એક, બે, પાંચ, નવ અને અગિયાર) જોડે થાય તો આ દરિદ્ર યોગ કહેવાય છે.

ત્રીજો અને અંતિમ યોગ જેના વિશે અમે જણાવી રહ્યા છે એ છે વિપરીત રાજ યોગ. આપણે જાણીયે છે કે 3, 6, 8, 12 ના સ્વામી ગ્રહો નો સંબંધ જો 1, 2, 5 ,9, 11 ભાવ ના સ્વામીઓ થી થયી જાય છે તો દરિદ્ર યોગ બને છે પરંતુ જો 3, 6, 8, 12 ના સ્વામીઓ નું સંબંધ પરસ્પર થયી જાય છે તો આ વિપતિર રાજ યોગ બને છે જે કે શુભ ફળદાયક છે. આ યોગ અચાનક રાજ યોગ ના સમાન શુભ ફળ આપવા વાળો છે. અમારા અનુભવ માં જો આ સંબંધ માં કુદરતી પાપ ગ્રહ એટલે કે સૂર્ય, મંગલ અને શનિ મળી જાય છે તો આ યોગ વિશેષ શુભ ફળ આપે છે.

રાજ યોગ રહસ્ય કુંડળી: 

રાજ યોગ શક્તિ ના રહસ્ય વિશે જણાવીશું. પહેલા જાણીયે છે નીચ ભંગ રાજ યોગ ના વિશે. આપણે જાણીએ છે કે જો કોઈ ગ્રહ નીચ હોય તો તે પોતાની શુભ ફળ ની શક્તિ ગુમાવી દે છે. પરંતુ અમુક સ્થિતિઓ માં નીચ ગ્રહ પણ રાજ યોગ ના ફળ આપે છે અને તેમાંની ની મુખ્ય ત્રણ સ્થિતિઓ વિશે જણાવીએ છે.

  1. નીચ ગ્રહ નો રાશિ સ્વામી ગ્રહ ઉચ્ચ નો હોય. જેમ કે બુધ મીન માં નીચ નો હોય છે. જો બુધ કન્યા માં હોય પરંતુ મીન નો સ્વામી એટલે કે ગુરુ ઉચ્ચ નો હોય.
  2. નીચ ગ્રહ નો રાશિ સ્વામી ગ્રહ લગ્ન અને ચંદ્ર થી કેન્દ્ર માં હોય.
  3. નીચ ગ્રહ જે રાશિ માં ઉચ્ચ નો થતો હોય તે રાશિ નો સ્વામી ઉચ્ચ નો હોય અથવા લગ્ન અને ચંદ્ર થી કેન્દ્ર માં હોય.

આમ થી જેટલી શરતો પૂર્ણ થશે એટલો શક્તિશાળી રાજ યોગ બનશે.

હવે વાત કરીએ છે પંચ મહાપુરુષ યોગ ની. જો મંગલ, બુધ, ગુરુ, શુક્ર અથવા શનિ પોતાની ઉચ્ચ રાશિ અથવા સ્વ રાશિ માં હોઈ કેન્દ્ર માં સ્થિત હોય તો ક્રમશ રુચક, ભદ્ર, હંસ, માલવ્ય અને શશ નામક રાજ યોગ બને છે.

આના સિવાય જો ગુરુ અને ચંદ્ર પરસ્પર કેન્દ્ર માં હોય તો ગજ કેસરી નામક રાજ યોગ બને છે.

આ રાજ યોગો થી જ્યોતિષ ની ઘણી ઊંડી વાતો શીખી શકાય છે આને ધ્યાન થી સમજો. ગ્રહ જે રાશિ માં હોય છે તે રાશિ નો સ્વામી ઘણો મહત્વપૂર્ણ હોય છે. જો ગ્રહ નબળો પણ હોય પરંતુ જે રાશિ માં છે તે રાશિ નો સ્વામી તાકાતવર છે તો નબળો ગ્રહ પણ તાકાતવર થયી જાય છે. આના વિપરીત તાકાતવર ગ્રહ પણ જો નબળા ગ્રહ ની રાશિ માં હોય તો તે પોતાનો ફળ નથી આપી શકતો. ઘણી વખત જ્યોતિષ લોકો આ મહત્વપૂર્ણ નિયમ ને ભૂલી જાય છે અને ભૂલ કરી દે છે. નીચ ભંગ રાજ યોગ નો રહસ્ય પણ આજ વાત માં સંતાયેલું છે.

કેન્દ્ર માં બેઠેલું ગ્રહ ઘણું પ્રભાવી હોય છે. સામાન્ય રીતે શુભ ગ્રહ કેન્દ્ર માં ઘણા સારા ફળો આપે છે અને પાપ ગ્રહ ઘણા અશુભ ફળો આપે છે. પરંતુ જો પાપ ગ્રહ પોતાની અથવા ઉચ્ચ રાશિ માં હોય તો મહાપુરુષ રાજ યોગ બનાવે છે. કેન્દ્ર ની શક્તિ જ ગજ કેસરી યોગ, મહાપુરુષ યોગ અને નીચ ભંગ રાજ યોગ નું રહસ્ય છે. જે જ્યોતિષ કેન્દ્ર ની શક્તિ ને સમજી લે છે તે રાજ યોગ વાંચવા માં ક્યારેય ભૂલ નથી કરતો.

રાજ યોગ ભંગ કુંડળી : 

ઘણી વખત લોકો આ કહેતા હોય છે કે આટલા બધા રાજ યોગ હોવા છતાં માણસ આટલો હેરાન કેમ છે? મહાપુરુષ અને ગજ કેસરી યોગ હોવા છતાં માણસ ને ખાવા માટે વાંધા કેમ પડી રહ્યા છે? ઘણા બધા જ્યોતિષ રાજ યોગ ભંગ ના નિયમ વિશે નથી જાણતા અને પછી કહે કે રાજ યોગ કઈ નથી હોતું. આજે અમે તમને તે નિયમો વિશે જણાવીશું જેના થી ખબર પડશે કે ક્યારે રાજ યોગ નું ફળ નહિ મળે. રાજ યોગ ભંગ ના આ નિયમો અમે વર્ષો ના અનુભવ થી મેળવ્યા છે. આ ઘણા મહત્વપૂર્ણ છે એટલે ધ્યાન થી સમજો.

રાજ યોગ ના ફળ ના મળવા નું મુખ્ય કારણ હોય છે રાજ યોગ બનાવનાર ગ્રહ નું નબળું હોવું. ગ્રહ ની તાકાત જાણવા માટે અમે 15 નિયમ પહેલા બતાવેલા હતા. એના સિવાય પાંચ બીજા કારણો થી રાજ યોગ ભંગ થાય છે તે આજે જણાવીએ છે.

પહેલો રાશિ સ્વામી ગ્રહ એટલે કે ડિસ્પોઝીટર. જો રાજ યોગ બનવનાર ગ્રહ જે રાશિ માં બેઠું છે તે રાશિ નો સ્વામી ઘણો નબળો છે. આના વિશે અમે ગયા લેખ માં રાજ યોગ રહસ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

બીજો દૃષ્ટિ એટલે કે રાજ યોગ બનાવનાર ગ્રહ પાપ ગ્રહ ખાસ કરીને મંગલ અથવા શનિ થી જોવા માં આવી રહ્યો હોય. ત્રીજું સંધિ એટલે કે રાજ યોગ બનાવનાર ગ્રહ બે રાશિઓ ના સાંધા પર છે. સંધિ એટલે કે તે જગ્યા જ્યાં એક રાશિ પુરી થાય છે અને બીજી રાશિ શરુ થાય છે. જો રાશિ અને નક્ષત્ર બન્ને ની સંધિ હોય એટલે કે ગ્રહ 120 ડિગ્રી, 240 ડિગ્રી અથવા 360 ડિગ્રી ની પાસે હોય તો તેને ગંડાંત પણ કહેવાય છે. આવી સ્થિતિ માં ગ્રહ ઘણું નબળું થયી જાય છે અને રાજ યોગ નું ફળ નથી આપી શકતું.

ચોથું નવમાંશ બળ. ખાસ કરીને નવમાંશ માં ગ્રહ નું નીચ હોવું. પાંચમું કુંડળી ની શક્તિ. આના વિશે અમે 'સફળતા અને સમૃદ્ધિ ના યોગ' વાળા લેખ માં જણાવી ચુક્યા છે. ટૂંક માં જો લગ્ન અને ચંદ્ર ઘણા નબળા હશે તો કોઈપણ રોજ યોગ નો કોઈપણ ફળ નહિ મળી શકે.

નક્ષત્ર : 

જ્યોતિષ માં સૂક્ષ્મ ફળ કથન માટે રાશિ ચક્ર ના માત્ર 12 વિભાગ પુરા નથી હોતા. સટીક ફળ કથન માટે બીજા ઘણા વિભાગો ને જાણવા ની જરૂર હોય છે અને તેમાં સૌથી મહત્વપૂર્ણ છે નક્ષત્ર. જો રાશિ ચક્ર ને સત્તાવીસ બરાબર ભાગો માં વહેંચીએ તો દરેક ભાગ એક નક્ષત્ર કહેવાશે. ઈંગ્લીશ માં નક્ષત્ર ને કોન્સ્ટલેશન (constellation) અથવા સ્ટાર (star) પણ કહેવાય છે. જોકે ગણિતીય રીતે અમે રાશિ ચક્ર ને 360 અંશ નો ધારીએ છે એટલે દરેક નક્ષત્ર 360 / 27 = 13 અંશ 20 કળા નો અથવા આશરે 13,33 અંશો નું હોય છે. દરેક રાશિ ની જેમ દરેક નક્ષત્ર નું પણ એક નામ હોય છે. પહેલા નક્ષત્ર નું નામ અશ્વની, બીજા નું ભરની અને અંતિમ નક્ષત્ર નું નામ રેવતી છે. દરેક નક્ષત્ર નો સ્વામી ગ્રહ નિશ્ચિત હોય છે અને તે આ ક્રમ માં હોય છે - કેતુ, શુક્ર, સૂર્ય, ચંદ્ર, મંગલ, રાહુ, ગુરુ, શનિ અને બુધ. યાદ રાખવા માં સરળતા માટે આ સૂત્ર યાદ રાખો (કેશુંઆચભૌરરાજીશ) એટલે કે કેતુ, શુક્ર, આદિત્ય (સૂર્ય), ચંદ્ર, ભૌમ (મંગલ), રાહુ, જીવ (ગુરુ), શનિ, બુધ. દરેક નવમાં નક્ષત્ર પછી નક્ષત્ર સ્વામી રિપીટ થાય છે એટલે કે જે પહેલા નક્ષત્ર નો સ્વામી છે તેજ દસમા નક્ષત્ર નો સ્વામી છે અને તેજ 19 માં નક્ષત્ર નો સ્વામી હશે.

રાજ યોગ ના ફળ ના મળવા નું મુખ્ય કારણ હોય છે રાજ યોગ બનાવનાર ગ્રહ નું નબળું હોવું. ગ્રહ ની તાકાત જાણવા માટે અમે 15 નિયમ પહેલા બતાવેલા હતા. એના સિવાય પાંચ બીજા કારણો થી રાજ યોગ ભંગ થાય છે તે આજે જણાવીએ છે.

નક્ષત્ર વિભાજન જ્યોતિષ માં ઘણું મહત્વપૂર્ણ છે. જ્યોતિષ માં દશા ની ગણતરીઓ પણ નક્ષત્ર ના આધારે કરવા માં આવે છે. દશા થી કોઈ પણ ઘટના નો સમય નિર્ધારણ થાય છે, એના વિશે પછી જાણીશું. ટૂંક માં ગ્રહ જે નક્ષત્ર પર બેઠેલું હોય છે તે નક્ષત્ર થી કારકત્વ લયી લે છે. જ્યોતિષ લોકો ગ્રહો ની રાશિ તો દર વખતે જુવે છે કેમકે જન્માક્ષર થીજ દેખાઈ જાય છે પરંતુ નક્ષત્ર ને ભૂલી જાય છે. ગ્રહ પોતાની દશા માં માત્ર તેજ ભાવો નો ફળ નથી આપતો જેનો તે સ્વામી છે અને જે ભાવ માં તે બેઠો છે. પરંતુ તે ભાવ નો ફળ પણ આપે છે જેનો તે ગ્રહ નો નક્ષત્ર સ્વામી માલિક છે અને જ્યાં તે ગ્રહ નો નક્ષત્ર સ્વામી બેઠો છે. એટલે જયારે પણ આપણે દશા જોઈએ, ગ્રહ ના નક્ષત્ર સ્વામી ને ના ભૂલો.

દશાફળ : 

સમય આજ જાણવા નું પ્રયાસ કરતા હોઈએ છે કે કોઈ ઘટના ક્યારે થશે. મારુ લગ્ન ક્યારે થશે, મારી નોકરી ક્યારે લાગશે આવા અમુક સામાન્ય પ્રશ્નો છે અને આને કેવી રીતે જોવા માં આવે છે તેની આજે ચર્ચા કરીશું. આવા પ્રશ્નો ના જવાબ જાણવા માટે દશા ને સમજવું જરૂરી છે. જ્યોતિષ માં ઘણી બધી દશાઓ ના વિશે જાણવા માં આવ્યું છે અને અમે સૌથી મહત્તવપૂર્ણ વિંશોત્તરી દશા વિશે જણાવીશું.

વિંશોત્તરી દશા નક્ષત્ર પર આધારિત છે. જન્મ ના સમયે ચંદ્ર જે નક્ષત્ર માં બેઠું હોય તે નક્ષત્ર ના સ્વામી ની સૌથી પહેલી દશા હોય છે. જેમ કે જન્મ ના સમય ચંદ્ર અશ્વિની નક્ષત્ર માં છે તો કેતુ ની પહેલી દશા હશે, ભરણી માં છે તો શુક્ર ની પહેલી દશા હશે. દશા માં ગ્રહો ના ક્રમ નક્ષત્ર સ્વામી ગ્રહો ના ક્રમ ની જેમ હોય છે એટલે કે - કેતુ, શુક્ર, ચંદ્ર, મંગલ, રાહુ, ગુરુ, શનિ અને બુધ. સંપૂર્ણ દશા નો સમય 120 વર્ષ નો હોય છે. જે રીતે ગ્રહો ની દશા ક્રમ નિશ્ચિત હોય છે તેજ રીતે દરેક ગ્રહ ની દશા અવધિ એટલે કે દશા કેટલા વર્ષ સુધી રહેશે તે પણ નિશ્ચિત છે જેમ કે કેતુ ની 7 વર્ષ, શુક્ર ની 20 વર્ષ, સૂર્ય ની 6 વર્ષ વગેરે.

ગ્રહદશા ની અવધિ (વર્ષો માં)
કેતુ7
શુક્ર20
સૂર્ય6
ચંદ્ર10
મંગલ7
રાહુ18
ગુરુ16
શનિ19
બુધ17
કુલ120

દરેક ગ્રહ ની નિશ્ચિત મહાદશા નો સમય તમે તાલિકા માં જોઈ શકો છો.દરેક ગ્રહ ની મહાદશા માં ફરી થી આજ નવ ગ્રહ ની અંતર્દશા આજ ગુણોત્તર માં હોય છે. એવીજ રીતે અંતર્દશા માં ફરી થી આજ નવ ગ્રહો ની પ્રત્યાંતર્દશા આજ ગુણોત્તર માં હોય છે અને પ્રત્યાંતર્દશા ની અંદર સૂક્ષ્મ વગેરે દશાઓ હોય છે. સટીક ગણતરી માટે તમે એસ્ટ્રોસેજ ડોટ કોમ નું નિઃશુલ્ક સોફ્ટવેર વાપરી શકો છો

દશાફળ દાખલો :

 દશા કઈ રીતે જોવાય. ધારો કે દાખલા કુંડળી માં આ જોવું છે કે આ વ્યક્તિ નું વિવાહ ક્યારે થશે.

પહેલા તો આ જોવું પડશે કે લગન થશે કે નહિ. ભાવ કારક લેખ થી અમે જાણીયે છે કે સાતમું ભાવ લગન નું હોય છે. ગ્રહ કારકત્વ વાળા લેખ થી અમે આ પણ જાણીયે છે કે શુક્ર વિવાહ નું કારક ગ્રહ છે. તેથી અમને સાતમું ભાવ, સાતમા ભાવ નો સ્વામી અને શુક્ર ની કુંડળી માં સ્થિતિ જોવી પડશે. જો આ ગ્રહ કુંડળી માં સારી સ્થિતિ માં બેઠેલા છે તો વિવાહ સારા સમયે થશે અને વિવાહિક જીવન સુખમય રહેશે.

આ જાણવા માટે કે લગન ક્યારે થશે અમને એ ગ્રહ શોધવા પડશે જેમની મહાદશા, અંતર્દશા અને પ્રત્યાંતર્દશા માં લગન થયી શકે છે. જે ગ્રહો નું સાતમા ભાવ અને શુક્ર થી સંબંધ હશે તે ગ્રહ પોતાની દશા, અંતર્દશા માં લગન આપશે. સાથેજ જેમ કે ગયા લેખ માં જણાવ્યું હતું કે તે ગ્રહ જે સાતમા ભાવ થી જોડાયેલા ગ્રહો ના નક્ષત્ર માં હોય તે પણ સાતમા ભાવ નું ફળ આપે છે.

આપણી દાખલા કુંડળી માં જોઈએ છે -

કુંડળી

  • સાતમા ઘર નો સ્વામી સૂર્ય છે
  • સાતમા ઘર માં શનિ, સૂર્ય અને બુધ બેઠા છે
  • શુક્ર ની સાથે રાહુ બેઠું છે

સૂર્ય સાતમા ભાવ નો સ્વામી પણ છે અને ત્યાં સ્થિત પણ છે એટલે સાતમા ભાવ નો ફળ દેવા માં તે સૌથી બળવાન છે. સૂર્ય ની સાથે બુધ બેઠું છે અને અમે જાણીયે છે કે બુધ, રાહુ અને કેતુ જે ગ્રહો સાથે બેઠેલા હોય છે તેમનું ફળ આપે છે. આના લીધે બુધ પણ સાતમા ભાવ નું ફળ દેવા માં બળવાન છે. રાહુ વિવાહ ના કારક શુક્ર સાથે બેસેલો છે તેથી તે પણ સાતમા ભાવ નું ફળ એટલે કે વિવાહ આપી શકે છે. તે ગ્રહ જે સૂર્ય, બુધ અને રાહુ ના નક્ષત્ર માં હોય તો તે પણ સાતમા ભાવ નું ફળ આપવા માં સક્ષમ હશે.એટલે જયારે પણ લગન ની વાય ની આજુ બાજુ સૂર્ય, બુધ, રાહુ અને તેમના નક્ષત્ર માં સ્થિત ગ્રહો ની મહાદશા, અંતર્દશા, પ્રત્યાંતર્દશા વગેરે આવશે ત્યારે લગન થશે.

ગોચર ફળ : 

ગોચર ફળ ના સાત મહત્વપૂર્ણ નિયમ

દશા સિવાય સમય ની માહિતી મેળવવા ની બીજી પદ્ધતિ છે ગોચર. ગોચર ને ઈંગ્લીશ માં ટ્રાન્જીટ કહેવાય છે. વર્તમાન સમય માં ગ્રહો ની સ્થિતિ નું જન્મ કુંડળી પર પ્રભાવ જોવા ને ગોચર કહેવાય છે. જેમ કે ધારો તમારો લગ્ન સિંહ અને રાશિ કન્યા છે. હાલ શનિ તુલા રાશિ માં થી પસાર થયી રહ્યો છે તો જ્યોતિષ ભાષા માં કહેવા માં આવશે કે શનિ સિંહ લગ્ન થી ત્રીજા માં અને કન્યા રાશિ થી બીજા માં ગોચર કરી રહ્યો છે કેમકે તુલા સિંહ થી ત્રીજી અને કન્યા થી બીજી રાશિ છે.

ગોચર જોવા ની ઘણી પદ્ધતિઓ છે. આજે ગોચર વિશે મહત્વ ની વાતો જણાવીએ છે, ધ્યાન થી સાંભળો.

  1. Bhrigoo.AI જયારે અમારે ભાવ નું પ્રભાવ જોવું હોય ત્યારે હંમેશા લગ્ન થી ગોચર જુઓ. જેમ કે જો તમારી સિંહ લગ્ન અને કન્યા રાશિ હોય અને શનિ તુલા માં હોય તો ત્રીજા ભાવ નું ફળ વધારે મળશે કેમકે શનિ લગ્ન થી ત્રીજા ભાવ માં છે.Bhrigoo.AI
  2. Bhrigoo.AI જો કે આ જોવું હોય કે શુભ ફળ મળશે કે અશુભ તો ચંદ્ર થી જુઓ. સામાન્ય રીતે પાપ ગ્રહ અને ચંદ્ર પોતે જન્મ ચંદ્ર થી ઉપચય ભાવ માં સૌથી સારું ફળ આપે છે. બધા ગ્રહો ની ચંદ્ર થી ગોચર કરવા પર શુભ અને અશુભ સ્થિતિ તાલિકા માં જુઓ અને નોટ કરી લો.Bhrigoo.AI
  3. Bhrigoo.AI સૂર્ય, મંગલ, ગુરુ અને શનિ નું ચંદ્ર થી 12 માં ભાવ પર, આઠમાં ભાવ પર અને પહેલા ભાવ પર ગોચર વિશેષતઃ અશુભ હોય છે. ચંદ્ર થી 12 મું, પહેલા અને બીજા ભાવ માં શનિ ના ગોચર ને સાઢે સાતી કહેવાય છે.Bhrigoo.AI
  4. Bhrigoo.AI ગ્રહ માત્ર તે ભાવો નું ફળ નથી આપતો જ્યાં તે બેઠું છે પરંતુ તે ભાવો નું ફળ પણ આપે છે જે ભાવો ને તે જુએ છે અથવા જેમના પર તેમની દૃષ્ટિ છે.Bhrigoo.AI
  5. Bhrigoo.AI જો કોઈ ગ્રહ તે રાશિ ગોચર કરે જેમાં તે જન્મ કુંડળી માં હોય તો તે પોતાના ફળ ને વધારી દે છે.Bhrigoo.AI
  6. Bhrigoo.AI દશા ગોચર થી વધારે મહત્વપૂર્ણ હોય છે. જો કોઈ ફળ ના વિશે દશા ના જણાવે તો માત્ર ગોચર થી ફળ નથી મળી શકતું. એટલે દશા જોયા વગર માત્ર ગોચર જોઈને ક્યારેય ભવિષ્ય વાણી ના કરવી જોઈએ.Bhrigoo.AI
  7. Bhrigoo.AI જો દશા પ્રારંભ થવા ના સમયે ગોચર સારું ના હોય તો દશા થી શુભ ફળ નથી મળતું.Bhrigoo.AI

ષોડષ વર્ગ : 

 રાશિ ચક્ર ને જો 12 બરાબર ભાગો માં વહેંચવા માં આવે તો દરેક ભાગ 'રાશિ' કહેવાય છે. સૂક્ષ્મ ફળ કઠણ માટે રાશિ ના પણ ભાગ કરવા માં આવે છે અને તેમને વર્ગ કહેવાય છે. વર્ગો ને ઈંગ્લીશ માં ડીવીજન (division) અને વર્ગો પર આધારિત કુંડળી (વર્ગ ચક્ર) ને ડિવિઝનલ ચાર્ટ (divisional chart) કહેવાય છે. વર્ગો ને જ્યોતિષમાં નામ આપેલા છે જેમ કે જો રાશિ ને બે ભાગ માં વહેંચવા માં આવે તો આ હોરા કહેવાય છે. તેવીજ રીતે જો ત્રણ ભાગ માં વહેંચાય તો દ્રેષ્કાણ, નવ ભાગ થાય તો નવમાંશ કહેવાય છે. તેવીજ રીતે દરેક વર્ગ વિભાજન ને નામ આપેલા છે. આજ કાલ સોળ વર્ગ વિભાજન ઘણી પ્રચલિત છે અને આને ષોડષ વર્ગ કહેવાય છે.

ષોડશ વર્ગ ના સોળ વર્ગ અને તેથી વિચારણીય વિષય તાલિકા માં જુઓ.

વર્ગ નામવર્ગ સંખ્યાવિચારણીય વિષય
લગ્ન1શરીર
હોરા2ધન
દ્રેષ્કાણ3ભાઈ બહેનો
ચતુર્થાંશ4ભાગ્ય (નસીબ)
સપ્તમાંશ7પુત્ર - પૌત્રાદિ
નવમાંશ9સ્ત્રી અને વિવાહ
દશમાંશ10રાજ્ય અને કર્મ
દ્વાદશાંશ12માતા પિતા
ષોડશાંશ16વાહનો થી સુખ દુઃખ
વિશાંશ20ઉપાસના
ચતુર્વિશાંશ24વિદ્યા
સપ્તવિશાંશ અથવા ભાંશ27શક્તિ અને અશક્તિ
ત્રિશાંશ30અરિષ્ટ
ખવેદાંશ40શુભ અશુભ
અક્ષવેદાંશ45બધા નું
ષષ્ટયંશ60બધા નું

વર્ગો ના ગણિત પર અમે નહિ જઈશું. તમે એસ્ટ્રોસેજ અથવા બીજા કોઈ સોફ્ટવેર થી વર્ગો ની ગણતરી કરી શકો છો. વર્ગો નો પ્રયોગ ખાસ કરીને ગ્રહો ના બળ ની ગણતરી માટે કરવા માં આવે છે. સામાન્ય રીતે જે ગ્રહ વધારે ઉચ્ચ વર્ગ, મિત્ર વર્ગ અને શુભ ગ્રહો નો વર્ગ પ્રાપ્ત કરે છે તે એટલુંજ શુભ ફળ આપે છે. જે ગ્રહ જેટલું તાકાતવર હોય છે તે પોતાનું ફળ એટલુંજ વધારે આપી શકે છે. શરૂઆત માં વર્ગો ઘણી ગૂંચવણ કરે છે એટલે તમે તમારું ધ્યાન માત્ર નવમાંશ પર આપો. જો કોઈ ગ્રહ નવમાંશ માં નબળું છે એટલે કે નીચ રાશિ નો અથવા શત્રુ રાશિ નો છે તો પોતાનો શુભ ફળ નથી આપી શકતો. જો કોઈ ગ્રહ કુંડળી આમ ઉચ્ચ નો હોય પણ નવમાંશ માં નીચ નો હોય તો તે ગ્રહ કોઈ ખાસ શુભ ફળ નહિ આપી શકે.

આ બધા વર્ગો માં નવાંશ અથવા નવમાંશ સૌથી મહત્વપૂર્ણ હોય છે.

ભાવ ચલિત :

 વર્ગ નો સૌથી મુખ્ય ઉપયોગ ગ્રહો નું બળ જોવા માં થાય છે. જે ગ્રહ ને જેટલા વધારે ઉચ્ચ વર્ગ, મિત્ર વર્ગ અને શુભ વર્ગ મળે છે તે તેટલા વધારે શુભ પરિણામો આપે છે.

ચલિત જન્મ પત્રિકા માં ઘણી વખત તમે પોતાની રાશિ અથવા લગ્ન કુંડળી સિવાય ભાવ ચલિત કુંડળી પણ બનેલી જોઈ હશે. આજે અમે તમને જણાવીએ છે કે ભાવ ચલિત અને રાશિ કુંડળી માં શું ફરક છે અને ભાવ ચલિત કુંડળી થી શું જોવા માં આવે છે. રાશિ કુંડળી જ્યોતિષ માં મુખ્ય કુંડળી છે અને જણાવે છે કે ગ્રહો અને લગ્ન ની રાશિ શું છે. જેમ કે નામ થીજ સ્પષ્ટ છે ભાવ ચલિત કુંડળી ગ્રહો ની ભાવ સ્થિતિ જણાવે છે. સામાન્ય રીતે કયો ગ્રહ કયા ભાવ માં બેઠું છે આ પણ અમે રાશિ કુંડળી થી જોઈ લઈએ છે જે કે સાચું નથી. આના માટે હંમેશા ભાવ ચલિત કુંડળી ને જોવું જોઈએ.

અધિકાંશતઃ રાશિ કુંડળી અને ભાવ ચલિત કુંડળી માં ગ્રહો ની સ્થિતિ એક જેવી હોય છે. પરંતુ જયારે કોઈ ગ્રહ રાશિ કુંડળી માં બીજી જગ્યાએ અને ભાવ ચલિત કુંડળી માં બીજી જગ્યાએ હોય છે ત્યારે જ્યોતિષ ના છાત્રો ભ્રમિત થયી જાય છે. એટલે ફલાદેશ ના સમયે આ અમુક વાતો નું ધ્યાન રાખો -

  1. ગ્રહ પોતાની દશા કયા ભાવ નું ફળ આપશે તે હંમેશા ભાવ ચલિત કુંડળી થી જુઓ. જેમ કોઈ ગ્રહ રાશિ કુંડળી માં પહેલા ભાવ માં બેઠું હોય તો અમને લાગશે કે તે પોતાની દશા માં આરોગ્ય આપશે. પરંતુ ધારો કે તે ગ્રહ ચલિત કુંડળી માં બારમા ભાવ માં જતો રહ્યો તો આરોગ્ય ની જગ્યાએ બારમા ભાવ નું ફળ જેમ કે હોસ્પિટલ માં દાખલ થવું અને એકલતા જેવા ફળ વધારે આપશે. જો ગ્રહ ની ભાવ સ્થિતિ ભાવ ચલિત કુંડળી માં બદલાયી જાય છે તો ગ્રહ તે ભાવ નું ફળ આપે છે જે ભાવ માં તે ભાવ ચલિત કુંડળી માં સ્થિત છે.
  2. બધા સોફ્ટવેર માં ભાવ ચલિત કુંડળી ની સાથે દરેક ભાવ નો ભાવ મઘ્ય બિંદુ પણ આપવા માં આવે છે. જે ગ્રહ જેટલું ભાવ મઘ્ય બિંદુ ની પાસે હશે તેટલું વધારે તે ભાવ નો ફળ આપી શકશે. જો કોઈ ગ્રહ ભાવ પ્રારંભ બિંદુ ની પાસે હોય તો તે પાછલા ભાવ નું ફળ પણ આપશે અને ભાવ અંત બિંદુ ની પાસે હોય તો આગલા ભાવ નું ફળ પણ આપશે. આવા ગ્રહો ની દશા માં જે ભાવ પ્રારંભ અથવા ભાવ અંત બિંદુ ની બહુ નજીક હોય તો બન્ને ભાવો ના મિશ્ર ફળ મળશે.
  3. ગ્રહો ની ભાવગત સ્થિતિ સિવાય બીજા બધા વિષય જેમ કે દૃષ્ટિ, યુતિ, રાશિ ગત સ્થિતિ - ઉચ્ચ, નીચ, મિત્ર, શત્રુ રાશિ વગેરે રાશિ ચક્ર થીજ જોવા જોઈએ.
  4. યોગો ને પણ હંમેશા રાશિ કુંડળી થી જોવું જોઈએ.

કારક સિદ્ધાંત :

કારક સિદ્ધાંત : અત્યાર સુધી આપણે જ્યોતિષ ના લગભગ બધા જરૂરી સિદ્ધાંતો સમજી ચુક્યા છે. હવે સમજીએ છે તે સિદ્ધાંતો નું ભવિષ્ય ફળ જોવા માટે કેવી રીતે પ્રયોગ કરવું. સૌથી પહેલા જણાવીએ છે કારક સિદ્ધાંત વિશે.

જયારે કોઈ કુંડળી માં વિષય વિશેષ વિશે જુઓ ત્યારે તમારે ત્રણ મુખ્ય બિંદુઓ નું ધય્ન રાખવું પડશે - પહેલો ભાવ, બીજું ભાવેશ અને ત્રીજો સ્થિર કારક ગ્રહ. આમના પરસ્પર સંયોજન થી જુદી જુદી વાતો ની ભવિષ્ય વાણી કરવા માં આવે છે. જેમ કે આપણે ગ્રહ કારકત્વ વાળા લેખ થી જાણીએ છે કે સૂર્ય સ્વાસ્થ્ય, પિતા, રાજા વગેરે નું કારક ગ્રહ છે. જો કોઈ કુંડળી માં સૂર્ય ઘણું નબળું છે તો જરૂરી નથી કે સૂર્ય ના બધા કારકત્વ નકારાત્મક રૂપ થી પ્રભાવિત થાય. કયા કારકત્વ પ્રભાવિત હશે તે ભાવ અને ભાવેશ પર નિર્ભર કરશે. જેવું કે આપણે ભાવ કારકત્વ લેખ થી જાણીયે છે કે આરોગ્ય ને પહેલા ભાવ થી જોવા માં આવે છે, પિતા ને નવમાં ભાવ થી જોવા માં આવે છે વગેરે. તો જો સૂર્ય ની સાથે નવમું ભાવ અને નવમાં ભાવ ની સ્વામી પણ નબળું હોય ત્યારેજ પિતા વિશે ખરાબ પરિણામ મળશે. જો નવમું ભાવ અને નવમાં ભાવ નો સ્વામી કુંડળી માં શક્તિશાળી હોય તો માત્ર સૂર્ય ના નબળા હોવા થી પિતા સંબંધી ખરાબ પરિણામો નહિ મળે. એવીજ રીતે જો પહેલા ભાવ અને પહેલા ભાવ નો સ્વામી શક્તિશાળી હોય તો માત્ર સૂર્ય ના નબળા હોવા થી આરોગ્ય ખરાબ નહિ હોય. સમજ્યા? એટલેજ કહ્યું છે કે કોઈ વિષય વિશેષ ના વિશે જોવા માટે ત્રણ વાતો - ભાવ, ભાવેશ અને કારક ગ્રહ ને જોવું જરૂરી છે.

કુંડળી અધ્યયન ની સુવિધા માટે ગ્રહ અને ભાવ ના મિશ્રિત કારકત્વ ને તાલિકા માં જુઓ અને નોટ કરો -

  • સૂર્ય અને પ્રથમ ભાવ - આરોગ્ય, શરીર
  • સૂર્ય / ચંદ્ર અને બીજો ભાવ - આંખો
  • ગુરુ અને બીજો ભાવ - અગિયારમો - ધન
  • બુધ અને બીજો ભાવ - બોલવું
  • ત્રીજો ભાવ અને મંગલ - ભાઈ બહેન
  • ચતુર્થ ભાવ અને ચંદ્ર - માતા
  • ચતુર્થ ભાવ અને મંગલ - મિલકત
  • ચતુર્થ ભાવ અને શુક્ર - વાહન
  • પંચમ ભાવ અને શુક્ર – ફિલ્મ / સિનેમા / કળા વગેરે
  • પંચમ ભાવ અને ગુરુ - પુત્ર
  • પંચમ ભાવ અને બુધ - બુદ્ધિ
  • ષષ્ટ ભાવ અને શનિ - રોગ અને શત્રુ
  • સપ્તમ ભાવ અને શુક્ર - પતિ / પત્ની / વિવાહ વગેરે
  • અષ્ટમ ભાવ અને શનિ - આયુ (ઉમર)
  • નવમ ભાવ અને સૂર્ય - પિતા
  • નવમ ભાવ અને ગુરુ - ગુરુ અને ધર્મ
  • દશમ ભાવ અને બુધ / ગુરુ - યશ અને વેપાર
  • એકાદશ ભાવ અને ગુરુ - ધન અને લાભ
  • દ્વાદશ ભાવ અને રાહુ - વિદેશ યાત્રા

જેમકે માતા ના વિશે જોવું હોય તો ચોથા ભાવ અને ચંદ્ર ને જુઓ. જો મિલકત વિશે જોવું હોય તો ચોથા ભાવ અને મંગલ વિશે જુઓ વગેરે. જો મિલકત વિશે જોવું હોય તો ચોથા ભાવ અને મંગલ ને જુઓ વગેરે. આ જીવન થી જોડાયેલા મુખ્ય વિષયો ની તાલિકા છે. ગ્રહ અને ભાવ ના કારકત્વ ની માહિતી આ તાલિકા થી તમે પોતે વધારી શકો છો.

સદૃશ સિદ્ધાંત :

 સદૃશ સિદ્ધાંત: કુંડળી જોઈને ભવિષ્ય વાણી કેવી રીતે કરવું તેના માટે અમે કારક સિદ્ધાંત વિશે જણાવ્યું હતું. આજે જણાવીએ છે તેના થી સંબંધિત એક જરૂરી સિદ્ધાંત જેનું નામ છે સદૃશ સિદ્ધાંત. સદૃશ નું મતલબ છે એક જેવું. સદૃશ સિદ્ધાંત જણાવે છે કે જો ગ્રહ અને ભાવ નો કારકત્વ કોઈ વિષય વિશેષ માટે સમાન હોય તો તે કારકત્વ વિશેષ રૂપે પ્રકટ થાય છે. સહ 'સમાન હોવું' મુખ્યતા બે રીતે થયી શકે છે - પહેલો ભાવ નો સ્વામી હોવા થી અને બીજો ભાવ માં સ્થિત હોવા થી.

કુંડળી

જેમ કે સૂર્ય પિતા નો કારક ગ્રહ છે અને નવમ ભાવ પિતા નો કારક ભાવ છે. ધારો કે કોઈ કુંડળી માં સૂર્ય નવમેશ થયી જાય તો સૂર્ય પિતા ને બમણી રીતે પ્રદર્શિત કરશે. આવા માં સૂર્ય નબળું હોય તો પહેલીજ નજર માં આપણે કહી શકીએ કે વ્યક્તિ ને પિતા નો સુખ નહિ મળશે. ધારો કે નવમેશ સૂર્ય 6, 8, 12 માં ઘર માં બેસી જાય, પેપ પ્રભાવ માં હોય (શનિ, મંગલ, રાહુ) તો પિતા ના કારકત્વ ને બમણું નુકસાન પહોંચાડશે. જે કુંડળી માં સૂર્ય નવમેશ હોઈ નબળું હોય તો અમે વિશ્વાસ સાથે કહી શકીએ કે વ્યક્તિ ને પિતા નું સુખ નહિ મળશે.

પાછલું દાખલો ભાવ સ્વામી ના માધ્યમ થી હતું. પરંતુ તે ફળ પણ ત્યારે સાચું થશે જયારે સૂર્ય નવમાં ભાવ માં હોય અને નબળું હોય. ધારો કે જો સૂર્ય નવમ સ્થિત હોઈ નબળું હોય ત્યારે પણ પિતા માટે ઘણું નકારાત્મક હશે. સૂર્ય ની આવી સ્થિતિ માં તમે વિશ્વાસ સાથે પિતા ના વિશે ફળ કથન કહી શકો છો.

તો જયારે કુંડળી જુઓ ત્યારે આ જરૂર જુઓ કે ગ્રહ જે ભાવ નો સ્વામી છે તે ભાવ અને તે ગ્રહ ના કયા કયા કારકત્વ એક સમાન છે. એવીજ રીતે જે ભાવ માં કોઈ ગ્રહ બેઠું હોય તો આ નોટ કરી લેવું જોઈએ કે તે ગ્રહ અને ભાવ ના કયા કયા કારકત્વ એક સમાન છે. તે સમાન કારકત્વ પર ફળ કથન દરમિયાન વિશેષ ધ્યાન આપવું જોઈએ. સદૃશ સિદ્ધાંત ને ધ્યાન માં રાખી ને કરેલી ભવિષ્ય વાણી ક્યારેય પણ ખોટી નથી હોતી.

સ્વામિત્વ સિદ્ધાંત : 

સ્વામિત્વ સિદ્ધાંત મુજબ કોઈ ગ્રહ ની શક્તિ તેની સ્થિત થનાર રાશિ ના સ્વામી પર નિર્ભર કરે છે. દાખલ તરીકે ધારો કે કોઈ ગ્રહ ઉચ્ચ નો છે પરંતુ તે એક એવી રાશિ માં છે જેનો સ્વામી નીચ અથવા બીજા કોઈ કારણ થી નબળું થયી રહ્યું હોય. આવી સ્થિતિ માં ઉચ્ચ ગ્રહ પોતાની ક્ષમતા મુજબ નહિ આપી શકે. આ એક અતિ મહત્વ પૂર્ણ સૂત્ર છે અને આને ક્યારેય ના ભૂલવું જોઈએ. ગ્રહ ની તાકાત કયારેય પણ ડિસ્પોઝીટર જોયા વગર નિર્ધારિત ના કરવી જોઈએ. કુંડળી ની અમુક સ્થિતિઓ માં ડિસ્પોઝીટર સિદ્ધાંત ઘણું મહત્વપૂર્ણ થયી જાય છે ખાસ કરીને જયારે ઘણા બધા ગ્રહ એકજ રાશિ માં બેઠા હોય.

કુંડળી

એક દાખલા કુંડળી થી સમજાવીએ છે. આ કુંડળી માં ગુરુ, શુક્ર અને બુધ પહેલા ભાવ માં સિંહ રાશિ માં બેઠા છે. જ્યોતિષ નું સિદ્ધાંત છે કે શુભ ગ્રહ કેન્દ્ર સ્થાનો માં ઘણા શુભ હોય છે. આ એક પ્રકાર નો શક્તિશાળી રાજ યોગ છે. પરંતુ અહીં એક વાત ધ્યાન આપવા વાળી છે કે ત્રણે ગ્રહ સિંહ રાશિ માં બેઠા છે અને ડિસ્પોઝીટર સૂર્ય એટલે કે સિંહ રાશિ નો સ્વામી સૂર્ય બારમા ભાવ માં બેઠું છે જે કે કોઈ પણ ગ્રહ માટે સારી સ્થિતિ નથી. સાથેજ સૂર્ય નીચ ના મંગલ સાથે છે અને શત્રુ શનિ દ્વારા જોવા માં આવે છે એટલે ડિસ્પોઝીટર સૂર્ય ઘણું નબળું છે. આ નબળા સૂર્ય ના લીધે ગુરુ, શુક્ર અને બુધ નો બનાવેલો રાજ યોગ ભંગ થયી ગયું.

આ રીતે ઉચ્ચ અથવા નીચ ગ્રહો ના અધ્યયન કરતી વખતે આ સિદ્ધાંત ને ક્યારેય પણ ભૂલવું ના જોઈએ. નીચ ભંગ રાજ યોગ નું મુખ્ય આધાર પણ ડિસ્પોઝીટર સિદ્ધાંત છે. જેમ કે કોઈ કુંડળી માં સૂર્ય ઉચ્ચ નો હોય એટલે કે મેષ નો હોય તો સૌથી પહેલા આ જોવું જોઈએ કે મંગલ કેવું છે. જો મંગલ જે કે સૂર્ય નો ડિસ્પોઝીટર છે, નબળું હશે તો સૂર્ય ના ઉચ્ચ હોવા ના ફળ નહિ મળશે. આ તાલિકા ના માધ્યમ થી યાદ રાખો કે કોઈ ગ્રહ ઉચ્ચ નો અથવા નીચ નો હોય તો કયા ગ્રહો નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ -

ગ્રહજો ઉચ્ચ હોય તોજો નીચ હોય તો
સૂર્યમંગલશુક્ર
ચંદ્રશુક્રમંગલ
મંગલશનિચંદ્ર
બુધ--ગુરુ
ગુરુચંદ્રશનિ
શુક્રગુરુબુધ
શનિશુક્રમંગલ
Jay ho

Update 


https://albelaspeaks.com/kundli/